તા : ૧૫ જૂન ૨૦૧૯ ,શનિવાર ,

Cyclone Vayu,Gujarat vayu vavajodu

ગુજરાત માં હાલ ભયજનક માહોલ જામેલો છે એનું કારણ છે વાયુ વાવાઝોડું

જયારે એક તરફ એવી વાતો થતી હતી કે ગુજરાત માં વાયુ વાવાઝોડા નો ખતરો ટળી ગયો છે અને 
વાવાઝોડું ઓમાન તરફ વળી ગયું છે  પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે વાવાઝોડા ની દિશા પલટાઈ છે અને તે ફરીથી ગુજરાત ના ક્ચ્છ તરફ આગળ વધી રહ્યું છે જે આપણા માટે ચિંતા ની  વાત છે 

Windy  દ્વારા એવું જાણવાના મળે છે કે આજ ના દિવસે વાયુ ગુજરાત ના દરિયા કિનારા થી લગભગ ૪૦૦ થી વધારે કિમી ના અંતરે આવેલું છે અને હવા ના દબાણ ને કારણે હવે તેની દિશા બદલાઈ ને ગુજરાત તા ક્ચ્છ તરફ આગળ વધ છે 


Gujarat Cyclone Vayu


લગબગ ૨ દિવસ પછી વાયુ વાવાઝોડું ગુજરાત ના ક્ચ્છ સાથે ટકરાશે જોકે તેની તીવ્રતા આટલી મોટી નહિ હોય પરંતુ સામાન્ય થી તો વધારે હશે .
Cyclone Vayu May Move

વાવાઝોડું ગુજરાત માં પ્રવેશ કરી શકે છે 

૧૭ જૂન ના દિવસે કદાચ આં વાવાઝોડું ક્ચ્છ સાથે ટકરાઈ શકે છે અને સાંજ સુધી માં વાવાઝોડું ક્ચ્છ થી અંદર પ્રવેશ કરી શકે છે .અને એની અસર બનાશકાંઠા સાબરકાંઠા સુધી થઇ શકે છે 



ગુજરાત સરકાર ની તૈયારી થી લોકો ખુશ 

વાયુ વાવાઝોડા માટે ગુજરાત માં તમામ તૈયારીઓ  થઇ ચુકી છે જે હાઇએલર્ટ ગામો ને ખાલી કરી દીધા છે પરંતુ અવારનવાર વાયુ ની દિશા બદલવાને કારણે મુશ્કેલીઓ વધી છે. આપણા જવાનો તથા બચાવ કર્મચારિયોં સતત ખડે પગે આપની રક્ષા માં તેનાત છે ગુજરાત સરકાર ની આવી તૈયારી જોઈ ને લોકો ખુશ છે અમને વિશ્વાસ છે કે ગુજરાત આવી કોઈ પણ હોનારત સામે લડી લેવા સક્રિય છે